Current Issue Madhukari

અંક-૧, વર્ષ-૧૦, જૂન – ૨૦૨૫

ઉત્તરપૂર્વ ભારતમાં જહાલવાદ અને નૃજાતીય કે વંશીયતાનો સામાજિક બહિષ્કારઃ રાજકીય ગતિશીલતા અને ભદ્રવર્ગના સંઘર્ષની સમજ

- તરુણ ગોગોઇતા

સારાંશઃ

ઉત્તરપૂર્વ ભારતનું રાજકારણ ઘણું વંશીય બાબતોથી ભરેલું છે.માનવસંસ્કૃતિ સંબંધી સમાનતા અને જાગૃતિ તથા પ્રાદેશિક માનવજાતિ ઓળખનું વિજ્ઞાન વગેરે બાબતો ગંભીર નૃજાતીયતાનાં સંઘર્ષો તથા અશાંતિથી ભરપૂર છે. આ પ્રદેશમાં અનેક નૃજાતીય કે વંશીય જૂથો વસવાટ કરે છે તે નવા અલંગ રાજયો માટે દબાણ કરે છે અથવા તેમના સર્વાંગી વિકાસ અને તેમની આગવી ઓળખ માટે વિશિષ્ટ બંધારણીય રક્ષણની માંગણી કરે છે. અલગ નૃજાતીય જૂથો માટે નિશ્રયાત્મક નિવેદશનનું સ્પષ્ટીકરણ કરે છે તેની સાથે બહિષ્કારને આગળ ધકેલે છે. વંશીય સમાનતા અને વંશીય ઓળખ ઉભી કરે છે. વંશીય સમાનતાનો આધાર નીતિવિષયક ઘોષણા દ્વારા આગવી વંશીય રાજકીય ઓળખને ગતિશીલ બનાવીને નૃજાતીય ચળવળ દ્વારા સમાનતાપૂર્વક નીતિની જાહેરાત કરે છે. જેને ભદ્રવર્ગના સંઘર્ષ તરીકે સમજાવી શકાય તેમજ તેને કૃતનિશ્રયી કરી શકાય. હકીકતમાં વંશીય કૃતનિશ્રયતા કંઇક અંશે સંવેદનશીલ અને અતાર્કિક છે તથા ભદ્રવર્ગ સત્તા મેળવવા માટે તેમજ સંઘર્ષ સાથે સ્પર્ધા કરે છે. પ્રસ્તુત પેપરમાં નીચેના પ્રશ્નોના ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભદ્રવર્ગ કેવી રીતે વિવિધ સમુદાયોના લોકોને તેમની જ્ઞાતિમાંથી ગતિશીલ બનાવે છે ? તેમના હેતુઓને આગળ વધારવા કેવા પ્રકારની વ્યૂહરચનાનો સ્વીકાર કરે છે ? કેવા પ્રકારના બહિષ્કાર ભદ્રવર્ગના સમુદાયોને પ્રોત્સાહિત કરે છે ? તેમના પોતાના સમુદાયોને કેવી રીતે સંગઠિત કરે છે ? પ્રસ્તુત અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે વિદ્યમાન બહિષ્કાર અને ઉતરપૂર્વ ભારતના વિવિધ સમુદાયોનો સંઘર્ષ દૂર થયો છે. તમામ સમુદાયોની ગતિશીલતા તમામ વિભાગના લોકોથી આગળ નીકળી ગઇ છે. અસામી અને વંશીય સમુદાયોનું વર્ચસ્વ અત્યંત આગળ વધ્યું છે.

ચાવીરૂપ શબ્દોઃ વંશીયતા, સામાજિક બહિષ્કાર, વંશીય ગતિશીલતા, ભદ્રવર્ગનો સંઘૃષ, જહાલવાદ, ઉત્તરપૂર્વ ભારત.

ભારતમાં બહુભાષાવાદનો વિકાસ (વૃદ્ધિ)

- વાચસ્પતિ શુકલ, ઉદય એસ. મિશ્રા

સારાંશઃ


સને ૨૦૧૧ ની વસ્તીગણતરીમાં ભાષાકીય માહિતી પર આધારિત માતૃભાષાના વિસ્તાર ઉપરાંત ભારતમાં ભાષાંકીય પ્રગતિનું મૂલ્યાંકન કર્યું છે. આ અન્વેષણમાં અનુભવજન્ય અભ્યાસ વલણને તપાસવા માટે વસ્તીગણતરીનાં અહેવાલ પર આધારિત ભાષાકીય માહિતીનો ઉપયોગ કર્યો છે જે ઘણે ભાગે સૂક્ષ્મ અન્વેષણ દ્ધિભાષાવાદ અને ત્રિભાષાવાદનું કામચલાઉ મૂલ્યાંકન કર્યું છે. નિરીક્ષણ દ્વારા જોવા મળ્યું છે. કે દ્ધિભાષાવાદમાં વર્ષ ૧૯૯૧થી સામાન્ય વધારો થયો છે. તેમ છતાં ત્રિભાષાવાદ કંઇક અંશે સ્થિર રહ્યો છે. આ વિશ્લેષણનો વિસ્તાર દર્શાવે છે કે દ્ધિભાષાવાદ અને ત્રિભાષાવાદનું વિશ્લેષણ શરતી છે. માતૃભાષાની ગતિશીલતા વધારે છે. તેમાં લઘુમતીની માત્રાને વિસ્તારી છે. આમ છતાં ગતિશીલતા ભાષાકીય ઝોનનો ઉદય થવાની સાથે એવી આશા રાખે છે કે બહુભાષાવાદની લાક્ષણિકતાનો ઉદય થશે તેમ છતાં તે ભાષાની જરૂરીયાતો જોઇને એનાં પરથી સ્વીકૃતિ માટે પસંદ કરે છે. આવા કિસ્સામાં દ્ધિભાષાવાદ અને ત્રિભાષાવાદ માટે તેની જરૂર છે.

ચાવીરૂપ શબ્દોઃ 

ભારતમાં ગરીબીના અંદાજોઃ ૧૯૯૨-૨૦૨૪

-મંજુલા લક્ષ્મણ

સારાંશઃ


ભારત સરકારની પ્રતિનિધિ સંસ્થા તરીકે આયોજન પંચ (હવે નીતિ આયોગ) એ રાષ્ટ્રીય અને રાજયસ્તરે ગરીબોનું માપન કરાવે છે. નીતિ આયોગ દેશમાં ગરીબોના માપન માટે તજજ્ઞ સમિતિની રચના કરે છે. નિયુકત થયેલ તજજ્ઞ સમિતિ દેશ અને રાજયો માટે કુટુંબોના વપરાશી ખર્ચના આધારે ગરીબી રેખા (બીપીએલ) નિર્ધારિત કરે છે. આ ગરીબી રેખાના આધારે દેશ અને રાજયમાં ગરીબ વસ્તી અને કુલ વસ્તીમાં તેની ટકાવારી પ્રમાણનો અંદાજ આવે છે. દેશના આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (મોસ્પી)ના પેટા એકમ રાષ્ટ્રીય નિદર્શ મોજણી (એનએસએસ) દર પાંચ વર્ષના અંતરાલમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે કુટુંબોના વપરાશી ખર્ચની મોજણી-સર્વેક્ષણ (એચસીઇએસ) કારાવે છે. તજજ્ઞ સમિતિ ગરીબી રેખાનું માપન કરવા માટે આ મોજણીનો આધાર લે છે. દેશમાં ૨૦૧૧-૧૨માં કુટુંબોના વપરાશી ખર્ચ સર્વેક્ષણના આધારે ગરીબોનું માપન થયું હતું. વર્ષ ૨૦૨૨-૨૩ કુટુંબોના વપરાશી ખર્ચ સર્વેક્ષણ હાથ ધરાયું. જોકે નીતિ પંચે ગરીબોના માપન માટે તજજ્ઞ સમિતિની રચના કરી નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સંશોધન શાખા દ્વારા ૨૦૨૪માં ૨૦૨૨-૨૩ની કુટુંબોના વપરાશી ખર્ચના સર્વેક્ષણના આધારે ગરીબીરેખા અને ગરીબોનો અંદાજ આવ્યો છે. તેમાં મહત્વનું તારણ છે કે વર્ષ ૨૦૨૪માં દેશમાં ગરીબોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ચાવીરૂપ શબ્દોઃ ગરીબી, ગરીબી માપન તજજ્ઞ સમિતિ, કુટુંબોના વપરાશી ખર્ચ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંશોધન, ભારત.

ગ્રામીણ ગરીબી અને બિનકૃષિક્ષેત્રના વ્યવસાયકારોનો અભ્યાસ નર્મદા જિલ્લાના સંદર્ભમાં

- ર્ડા. હિરલ એચ. મિસ્ત્રી, ર્ડા. હસમુખ જી. દેસાઇ

સારાંશઃ

પ્રસ્તુત સંશોધનમાં અભ્યાસ કરવામાં આવેલાં કુટુંબોનો મુખ્ય વ્યવસાય બિનકૃષિક્ષેત્ર છે. પરંતુ, તેઓને જયારે કામ મળતું નથી ત્યારે તેઓ જીવનનિર્વાહ માટે ગૌણ વ્યવસાયનો આશરો લે છે. જેમાં મુખ્યત્વે ખેતમજૂરી કરીને આવક મેળવે છે. તેઓને વર્ષ દરમ્યાન ગૌણ વ્યવસાયમાંથી પ્રાપ્ત થતી રોજગારી વધુમાં વધુ સરેરાશ ૨૫ થી ૩૫ દિવસની હોય છે. જેમાં ઓછામાં ઓછું રૂા.૭૫ અને વધુમાં વધુ રૂા. ૧૩૦ જેટલું વેતન પ્રાપ્ત થાય છે. કુલ કામ કરતી વસ્તીમાંથી ૧૫.૯૫ ટકા લોકો વર્ષ દરમિયાન મુખ્ય વ્યવસાયની સાથે ગૌણ વ્યવસાય કરે છે. જેમાં ગૌણ વ્યવસાયમાં પ્રા૫ત થતો સરેરાશ કુલ વાર્ષિક આવક ૨૮૧૫ રૂા. છે. સંશેાધન અભ્યાસમાં બિનકૃષિક્ષેત્ર ગરીબ કુટુંબની આવકનો એક મહત્વનો સ્ત્રોત છે. આ અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે. કે, લોકોને સ્થાનિક કક્ષાએ ઓછી અને અનિશ્ચિત રોજગારી મળે છે. તેથી રોજગારીની તકોમાં વધારો થાય અને બાંહેધરી મળે તેવા પ્રયત્નો કરી શકાય. કુટુંબોમાં વ્યાવસાયિક આવકનું પ્રમાણ તપાસતાં તે નીચું જોવા મળ્યું છે. માટે વધુ વ્યાવસાયિક આવક આપતા વ્યાવસાયોનો વિકાસ થાય તો આવકમાં વધારો કરી શકાય.

ચાવીરૂપ શબ્દોઃ ગ્રામીણ ગરીબો, કૃષિક્ષેત્ર અને બિનકૃષિક્ષેત્ર.

institute address

Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 2685 0598

+91 79 2685 1714