અંક-૧, વર્ષ-૮, જૂન – ૨૦૨૩
ભારતની ગ્રામીણ રોજગારીની રૂપરેખા : પડકારો અને તકો
- રાજર્ષિ મજુમદાર
સારાંશઃ
અર્થવ્યવસ્થા પર આધારિત ગ્રામીણ આજીવિકાનું ક્ષેત્રીય સર્વાંગી પરિવર્તન શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક અને સેવા કે નોકરી પર આધારિત અર્થવ્યવસ્થામાં થયું છે. આને સામાન્ય રીતે વિકાસનો સંકેત ગણવામાં આવે છે. આ પરિવર્તન આર્થિક વૃદ્ધિ સાથે સુસંગત છે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે. ભારત જેવા દેશમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા સાથેની પ્રક્રિયામાં તે વિવેકપૂર્ણ સાથ આપે છે. વર્ષ ૧૯૯૦ થી માળખાગત સમાયોજનના કાર્યક્રમો નવા ઉદારતાવાદ પછી શરૂ થયા છે. આમ છતાં ભારતની ગ્રામીણ રોજગારીની રૂપરેખા એ વિકટ સમસ્યા છે. એની સાથે એકંદર આંતરિક ઉત્પાદન (જીડીપી) નો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટયો છે. રોજગારીનો હિસ્સો આવા પ્રકારના પતનનો સંકેત આપતો નથી. જે કાંઇ સ્થાન પરિવર્તને લીધું છે તે પણ સંશય વ્યકત કરે છે કે વિધાયક ગતિવાદ અથવા એવા પ્રકારની આપત્તિ છે. પ્રસ્તુત પેપરમાં પરિવર્તનની જટિલતાને ભારતીય ગ્રામીણ શ્રમબજારના સંદર્ભમાં તપાસવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા દાયકાથી આવી જટિલ સમસ્યાનો સુઝાવ લાવી શકયા નથી. માનવ મૂડીનિર્માણની વ્યૂહરચના બહુવિધ શાખા ધરાવે છે. કૃષિમાં જરૂરી સુધારણાની રૂપરેખામાં ઉમેરો કરીને ગ્રામીણ બિનકૃષિવિષયક વ્યવસાયોમાં સર્વાંગી પરિવર્તન કરે છે. જયાં તકો સાંપડે છે. આ ધ્યેયને હાંસલ કરવા માટે માળખાગત પડકારોનો સામનો કરવો પડે છે.
ચાવીરૂપ શબ્દોઃ ગ્રામીણ રોજગારી, ગ્રામીણ શ્રમબજાર, ગ્રામીણ પરિવહન.
ગુજરાતમાં કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમઃ વલસાડ અને નવસારી જિલ્લાના સંદર્ભે આર્થિક મૂલ્યાંકન
- વિપુલ ગામીત અને મંજુલા લક્ષ્મણ
સારાંશઃ
ગુજરાત રાજયના આદિવાસી વિશેષ વિસ્તારોમાં ગુજરાત વનબંધુ યોજના અન્વયે ગરીબ કુટુંબો, સીમાંત ખેડૂતો પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે. તેઓની આજીવિકાના સ્ત્રોતોના સર્જન માટે કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમ ૨૦૧૧થી અમલમાં આવેલ છે. આ યોજનામાં સીમાંત ખેડૂતોને પરંપરાગત ખેતીના સ્થાને આધુનિક સાધનો વડે શાકભાજીની ખેતી માટે બિયારણ, રાસાયણિક ખાતર અને તાલીમ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. પસ્તુત લેખ કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓની આજીવિકા મુખ્યત્વે ખેતીમાં થયેલ ફેરફારોની સ્થિતિ તપાસે છે. આ અસરોમાં લાભાર્થીના ખેતીના વાવેતર વિસ્તાર, ઉત્પાદન, ખેત ઉત્પાદકતા, આવક, પાકની તરાહ અને સ્થળાંતર ઉપર પડેલી અસરો તપાસી છે, અભ્યાસક્ષેત્ર વલસાડ અને નવસારી જિલ્લાનાં કપરાડા અને ઉચ્છલ તાલુકાનાં ૧૭ ગામોમાં અને ૨૫૧ લાભાર્થી છે, આ અભ્યાસમાં જણાયું કે કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમોનો લાભ લીધા બાદ લાભાર્થીની કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને આવકમાં વધારો થયો છે પરંતુ સ્થળાંતર ઉપર વિશેષ અસર જોવા મળી નથી. ગુજરાતમાં પ્રાકૃતિક-સજીવખેતી તરફનો રાજયનો ઝોક અને અભિગમ વધી રહયો છે ત્યારે પરંપરાગત ખેતી કરતા આદિવાસી વિસ્તારમાં આધુનિક ખેતી દાખલ કરવાથી કેવા ફેરફાર થયા છે અને આ અંગે લાભાર્થીઓના અભિગમની તપાસ કરવામાં આવી છે.
ચાવીરૂપ શબ્દોઃ કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમ - કૃષિ ઉત્પાદકતા - આવક - પાકતરાહ - સ્થળાંતર - આધુનિક ખેતી - અનુસૂચિત જનજાતિ - ગુજરાતી.
સૌરાષ્ટ્રમાં દલિતોના જમીન સંઘર્ષો
- ર્ડા. રાજેશ લકુમ
સારાંશઃ
જમીન સંશાધન માત્ર આર્થિક સત્તાનું પ્રતીક નથી. પરંતુ સામાજિક દરજજો, આજીવિકા અને વ્યકતિના સ્વમાન પણ જાડાયેલ હોય છે. ભારતમાં જમીનની અસમાન જમીન માલિકીના કારણે અનેક સંઘર્ષો થયા. વર્ષ ૧૯૫૦માં જમીન સુધારા સમિતિ દ્વારા અપ્રમાણસર જમીન માલિકી અન્યાયી હોવાથી જમીનધારણ પર મર્યાદા મૂકી ન્યાયિક વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આઝાદી બાદ જમીન સુધારા કાયદા દ્વારા જમીનની વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને દલિતોને પણ જમીનની વહેંચણી કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં જમીન સુધારા કાયદા અંતર્ગત દલિતોને આપવામાં આવેલ જમીનની વાસ્તવિક સ્થિતિ શું છે ? જમીનની વહેંચણીનું અમલીકરણ કેવી રીતે થયું ? તેમજ જમીન અધિકાર મેળવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને દલિત સંગઠનોની ભૂમિકા કેવી રહી ? અને જમીન અધિકાર મેળવવા દલિતો પર થયેલ અત્યાચારોનું વર્ણન પ્રસ્તુત લેખમાં કરવામાં આવ્યું છે. પ્રસ્તુત લેખમાં ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારો ૧૯૬૧ના સંદર્ભે અધિશેષ જમીન દલિત તરફી વહેંચણી કરાવવા માટે અનેક દલિતો દ્વારા સંઘર્ષો કરવામાં આવ્યા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ’રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા’ (આરઆઇપી) દ્વારા વર્ષ દલિતોને જમીનની ફાળવણી કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યાં તથા ’કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસના’ (સીએસજે) દ્વારા દલિતોને આપવામાં આવેલ જમીનનો વાસ્તવિક કબજો અપાવવા સંઘર્ષ કર્યો છે. આ સિવાય જોઇએ તો જમીન સુધારા અન્વયે પણ જે દલિતોને જમીન ફાળવણીને આપી ન હતી એટલે સરકારી પડતર અને ગોચર પર ખેતી કરતાં લોકો ઉપર અત્યાચારના બનાવો વધવા લાગ્યા. ’સોરાષ્ટ્ર દલિત સંગઠન’ (એસડીએસ) દ્વારા જમીનના મુદ્દે દલિતો પર થયેલા અત્યાચારોના બનાવોમાં ન્યાય અપાવવાની કામગીરી કરી છે. વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ આજે પણ દેશના ૫૪.૭૧ ટકા અને ગુજરાતના ૬૩.૨૪ ટકા દલિત કુટુંબો ખેતમજૂરી ઉપર નિર્ભર છે. વર્તમાન સમયમાં ’જમીન અધિકાર ઝુંબેશ (જેએઝેડ) અંતર્ગત દલિતોને જમીન ફાળવણી કરાવવા માટે આંદોલન કરવામાં આવ્યાં છે. વર્ષ ૧૯૪૭ થી ૨૦૨૨ સુધીના સમયગાળામાં દલિતોને જમીન અધિકાર અપાવવા વિશાળ રેલીઓ, ધરણાં, યાત્રાઓ અને કાયદાકીય લડતને પ્રસ્તુત લેખમાં તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ચાવીરૂપ શબ્દોઃ જમીન સુધારા, દલિત, સંઘર્ષ અને અત્યાચાર, દલિત સંગઠનોની ભૂમિકા.
Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.
+91 79 2685 0598
+91 79 2685 1714